Saturday, 2 September 2017

જામનગર: ‘વિકાસ ગાંડો થયો’ પોસ્ટ કરનાર ભાજપ કોર્પોરેટર 6 વર્ષ માટે સસ્પેન્ડ



જામનગર : હાલ સોશિયલ મીડિયામાં ‘વિકાસ ગાંડો થયો છે’ ના મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. વિરોધપક્ષ તેમજ પ્રજા તો ઠીક ભાજપ પક્ષના પોતાના જ કોર્પોરેટર પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે જામનગર ભાજપ વોર્ડ નં 5માં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર કરશન કરમૂરે પણ ભાજપ સરકારની નિષ્ફળતાઓ વર્ણવી ‘આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે’ ની પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદને કારણે તેમને હાઇ કમાન્ડ દ્વારા છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોર્પોરેટર કરશન કરમૂરેએ ફેસબુક પર કરેલ પોસ્ટ આ પ્રમાણે છે
ઓક્સિજન વગર બાળકો મરી રહ્યા છે
યોગ્ય ભાવને અભાવે ખેડૂતો મરી રહ્યા છે
સરહદે સૈનિકો મરી રહ્યા છે
રેલ અકસ્માતોમાં નિર્દોષ લોકો મરી રહ્યા છે
બળાત્કારીને સજા થાય તો પ્રજા મરી રહી છે
સ્વાઇન ફલૂથી દર્દીઓ મરી રહ્યા છે
GST થી વેપારીઓ ત્રાહિમામ કરી રહ્યા છે
રસોઈ માટેનો ગેસ મોંઘો થઈ રહ્યો છે
કામ કરતા પ્રચારમાં વધુ ખર્ચ થઈ રહ્યો છે
રોજગારી આપવાનો દાવો પોકળ સાબીત થઈ રહ્યો છે
કેશ-લેશ ની વાતો કરનારા ટ્રાજેક્સન ચાર્જ લઈ રહ્યા છે
આધારનો વિરોધ કરનારા
આધાર ફરજીયાત કરી રહ્યા છે
51℅ FDI નો વિરોધ કરનારા 100% FDI કરી રહ્યા છે
મનરેગા ની હાંસી ઉડાવનાર આજે તેને મોટું બજેટ ફાળવી રહ્યા છે
પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરનાર
આજે રોજ ભાવ વધારો કરી રહ્યા છે
નોટબંધી સમયે મોટા-મોટા ફાયદા ગણાવનાર
આજે નુકશાન છુપાવી રહ્યા છે
370 ની કલમ દૂર કરીશું કહેનાર તેના વિરોધીઓ સાથે સરકાર ચલાવી રહ્યા છે
રામ મંદીર બનાવીશું કહેનાર આજે તેને કોર્ટનો મામલો ગણાવી
રહ્યા છે
હિન્દુત્વ ને નામે જીતનાર #ગૌરક્ષકો ને ગુંડા કહી રહ્યા છે
ગાયોના નામે મત માંગનારા આજે ભારતીય સેનાની પ્રતીષ્ઠિત ગૌશાળા બંધ કરી રહ્યા છે
જીવનભર અને ખરાબ સમયમાં પણ પાર્ટી માટે કાર્યકરનાર પોતાના કાર્યનિષ્ઠ કાર્યકરોને અવગણી તકવાદી પક્ષ પલટુઓને ટિકીટ અપાઇ રહી છે
આગળની સરકારોના ભ્રષ્ટાચારી નેતાઓને જેલ ભેગા કરવાની વાતો કરવા વાળા તેનેજ પોતાની પાર્ટીમાં ભેગા કરી રહ્યા છે
વિપક્ષ મુક્ત ભારત ની વાતો કરવા વાળા
વિપક્ષનેજ પોતામાં ભેળવી રહ્યા છે
તેના કે પાર્ટીના વખાણ કરનાર નેજ રાષ્ટ્વાદી હોવાનનું સર્ટીફીકેટ અંધભક્તો દ્વારા અપાય રહ્યા છે
દેશ માટે તેના કે તેની પાર્ટી વિરુદ્ધ સત્ય બોલનારને રાષ્ટ્દ્રોહી ,અધાર્મિક અથવા વિપક્ષી તરીકેની ઉપમા તેના અંધભક્તો દ્વારા અપાય રહી છે
કાયમી લોકોને ગુમરાહ કરી રહ્યા છે
તોય પાછા લાજવાને બદલે ગાજી રહ્યા છે
છતાં #અંધભક્તો કહે #વિકાસ થઇ રહ્યો છે
#આઘા_રહેજો_વિકાસ_હવે_ગાંડો_થઇ_રહ્યો_છે


Share This Post →


No comments:

Post a Comment

Pages

Contact Form

Name

Email *

Message *